અમદાવાદ: એરપોર્ટ ઓથરીટીનો નિર્ણય, રન-વે પર પ્રાણીઓનો પ્રવેશ અટકાવવા લેવાયો નિર્ણય. 50 કરોડના ખર્ચે આધુનિક પેરામીટર ઈન્ટુઝન ડિટેક્શન સીસ્ટમ લગાવવામાં આવશે. રન-વેની આસપાસની દિવાલથી પ્રાણીઓના પ્રવેશ સમયે વીડિયો રેકોર્ડ અને એલાર્મ વાગશે. ઇઝરાયેલથી મંગાવવામાં આવેલી સીસ્ટમ કેન્દ્ર સરકારની મંજૂરી બાદ એક વર્ષમાં લગાવવામાં આવશે,એરપોર્ટ નિયામક મનોજ ગંગલ દ્વારા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલાયો હતો.