વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, આ દિવસ અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ, અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદે છે તેમજ આ દિવસે લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા વાહનો પણ ખરીદે છે તો કેટલાક લોકો પોતાના શુભ કાર્યો પણ આ દિવસેથી શરૂઆત કરતાં હોય છે