ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને LRD મામલે ઉકેલ લાવવા અપીલ કરી છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતું કે, 48 કલાકમાં 1 ઓગસ્ટ 2018ના ઠરાવ અંગે યોગ્ય નિર્ણય નહી લેવાય તો 17 તારીખે સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરશે.