કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ મોટું પગલું ભરતાં 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવશે. મળતી માહિતી અનુસાર અમિત શાહ 15 ઓગસ્ટના રોજ શ્રીનગરની યાત્રા કરી શકે છે. જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખને કેંદ્વ શાસિત પ્રદેશ જાહેર કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ જમ્મૂ કાશ્મીરની પ્રથમ યાત્રા હશે.