સુરતના બળાત્કારી હત્યારાનું ડેથ વોરંટ ઇસ્યુ કરાયું. સાડા 3 વર્ષની બાળકીનો બળાત્કાર અને હત્યા મામલે 29મી ફેબ્રુઆરીના રોજની તારીખ આપવામાં આવી છે. એડી. સેસન્સ જજ પી એસ કાલાએ આદેશ કર્યો. ઓક્ટોબર 2018માં ગોડાદરામાં ઘટના બની હતી. અનિલ યાદવને સુરત કોર્ટે ફાંસીની સજા આપી છે. ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્ટના હુકમને યથાવત રાખ્યો હતી. સરકારી વકીલે અનિલના ડેથ વોરંટ માટે અરજી કરી હતી. અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ફાંસી અપાશે.