માણસામાંથી નકલી કપાસનું બિયારણ મળી આવ્યા બાદ સમગ્ર રાજ્યના ખેતીવાડી વિભાગ હરકતમાં આવ્યું છે, ખેતીવાડી વિભાગે સમગ્ર રાજ્યની બિયારણની દુકાનો ઉપર તપાસ શરૂ કરી છે જો કે ખેતીવાડી અધિકારીઓની તપાસ દરમિયાન નકલી બિયારણ નથી મળી આવ્યું.