જાણીતા લેખીકા કાઝલ ઓઝા વૈદ્ય અને તેમના દિકરાએ કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. જેમાં પાટીદાર આરક્ષણ સંધર્ષ સમીતી નવી દિલ્હીનો નેશનલ કો-ઓર્ડીનેટર અશ્વીન સાંકડસરીયાએ સોશિયલ મીડિયા પર સતત સમાજમાં છબી ખરડાય અને બદનક્ષી ભર્યા નિવેદનો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઉપરાંત જે પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકવામાં આવી હતી તેના સ્ક્રીન શોર્ટ પણ પુરાવા સ્વરૂપે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.