અયોધ્યામાં સરયુ નદીના કિનારે રામ કી પૈડી પર 4 લાખ 10 હજાર દિવા પ્રગટાવાયા હતા. આ દિવાને સળગાવા માટે તેમાં 21,000 લીટર સરસોના તેલનો ઉપયોગ કરાયો હતો. દરેક દિવામાં 40 વખત તેલ નાખવામાં આવ્યું હતું. આ તેલને ફૈઝાબાદ અને આજુબાજુના જિલ્લાઓમાંથી એક્ઠું કરાયું હતું. દિવા પ્રગટાવા માટે ઉપયોગમાં લેવાતી રૂની પૂણી લખનઉથી મગાવાઈ હતી.