મધ્ય પ્રદેશના રાજકીય ઘટનાક્રમમાં છેલ્લી 24 કલાકથી સતત ફેરફાર થઈ રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાનો રાજકીય કલર બદલી ગયો છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને તે હવે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામાં બાદ 22 કોંગ્રેસના 22 ધારાસભ્યોએ પણ રાજીનામાં આપી દીધા છે. એક તરફ જ્યાં કમલનાથ સરકાર પર ખતરો લાગી રહ્યો છે તો ભાજપ સરકાર બનાવવા માટે આગળ પગલાં માંડી રહ્યું છે.