આજે અમદાવાદમાં અચાનક ઝાપટુ પડતા કાલુપુર નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલ વિસ્તારમાં કાળુ પાણી ભરાઇ ગયું હતું. જે અંગે કોંગ્રેસના કોર્પોરેટરે દાવો કર્યો હતો કે વરસાદ પડતા જ અરવિંદ મિલ પોતાનું કેમિકલ ગટરમાં છોડી દે છે. જેના કારણે આ બધુ જ પાણી બેક મારીને રોડ પર આવે છે.