નેશનલ હાઈવે 48 પર ભરૂચ પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3નાં મોત થયા અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક બાજુ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરી રહી હોવાનો દાવો કરી રહી છે. જોકે સરકારી બાબુના બહાનાઓ અને કનડગતને કારણે ખેડૂતોને હેરાન થઇ રહ્યા છે. ઉનાના માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ખેડૂતોની મગફળી યેનકેન બહાનાઓ કરી રિજેક્ટ કરી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી રહી છે.