મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રનાં સોમનાથ, દ્વારકા, પોરબંદર અને સાબરકાંઠાનાં પ્રવાસને રહેલા ટુરિસ્ટોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે. તમામ યાત્રિકોને સંભવિત અસરગ્રસ્ત સ્થળો છોડી દેવા અથવા તો આસપાસનાં સલામત સ્થળોએ ખસી જવા માટે જણાવવામાં આવ્યું છે. યાત્રિકોને જરૂર જણાય તો સંબંધિત જિલ્લાનાં એસ ટી ડિપો મેનેજરનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.