સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાએ રૂ. ૪૩.૪૮ કરોડના ખર્ચે સુરેન્દ્રનગર શહેરમાં તૈયાર કરવામાં આવેલ રેલવે ઓવરબ્રિજ તથા રૂપિયા ૨૭.૫ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આવાસ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ તેમજ રૂ.૭.૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા પંડિત દિન દયાલ ઉપાધ્યાય ટાઉનહોલનો ઉદઘાટન સમારોહ યોજ્યો છે... આમ કુલ ૮૦.૦૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું લોકાર્પણ ગુજરાતનાના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શક્રવારે ૧૦ વાગ્યે યોજાશે.