ડીજીવીસીએલની બેદરકારીએ શુક્રવારે એક યુવતીનો ભોગ લીધો હતો.તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસુમો હોમાઈ ગયાની ઘટનાના હજી પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે ડીજીવીસીએલની બેદરકારીના લીધે પુણાગામમાં વીજ કરંટ લગતા 20 વર્ષીય યુવતીનું ગણતરીની સેકંડોમાં જ મોત નીપજ્યું હતું. આ મામલામાં ડીજીવીસીએલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.