કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ચેતવણી આપી હતી. એસ.ટી, એસ.સી, ઓબીસીના અધિકાર છીનવવાનું બંધ કરો લોકો રસ્તા પર ઉતર્યા છે પોતાની લડત લડી રહ્યા છે. આ દીકરીઓ સાત દિવસથી આંદોલન કરી રહી છે. લોકો આ મહિલાઓ સાથે જોડાશે. સરકાર આ લોકો સાથે સંવાદ કરીને નિરાકરણ નહીં લાવે તો ગુજરાતમાં વધારે જલદ આંદોલન કરવામાં આવશે.