સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.