1999 કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર તેમજ ભારતીય વાયુસેનામાં ત્રણ દશકાથી વધુ સમય સુધી સેવા આપનાર ફાઈટર પ્લેન મિગ-27એ આજે છેલ્લી વખત ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ સાત વિમાનના પોતાના સ્કવોડ્રનને જોધપુર એરબેઝથી વિદાય આપી હતી. તેનો સૌથી વધુ ઉપયોગ કારગિલ યુદ્ધમાં કરાયો હતો. પાકિસ્તાન સાથે 1999માં થયેલા યુદ્ધમાં મિગ-27 ફાઈટર જેટ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી.