રાજ્યમાં બદલાયેલા હવામાનને લઇને થયેલા કમોસમી વરસાદને પગલે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આ ધુમ્મસ ભર્યા વાતાવરણને કારણે માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકિનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ગઇકાલે રાજ્યમા પડેલા કમોસમી વરસાદને પગલે હવે રાજ્ય સરકાર પણ ખેતીમાં થનારા નુકશાનને લઇને ખેડુતોના હિતમાં પગલા લઇ શકે છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલે હિંમતનગરના એક કાર્યક્રમ વેળા કમોસમી વરસાદને લઇને નિવેદન આપ્યુ હતુ. હિંમતનગર શહેરમાં તેર કરોડના ખર્ચે નવનિર્મીત રેલ્વે અંડર બ્રીજનુ લોકાર્પણ કરવા માટે નિતીન પટેલે કમોસમી વરસાદ થી ચિંતામાં મુકાયેલા ખેડુતોને માટે મોટુ નિવેદન આપ્યુ હતુ.