ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાકોર થી અમદાવાદ તરફના રોડના વિકાસનું કામ હાથ ધર્યું છે. પરંતુ વિકાસના કામમાં આંધળી કામગીરી કરતા સરકારી બાબુઓને કારણે મહુધા તાલુકાના મીરજાપુર ગામના ગ્રામજનોની મુસ્કેલીઓમાં વધારો થયો છે. સરકારી બાબુઓની બેજવાબદાર કામગીરીને કારણે મીરજાપુર ગામના સ્મશાન, કબ્રસ્તાન અને ગોચરમાં જવાનો રસ્તો બંધ થઇજતા ગ્રામજનોની મુસ્કેલીઓ વધી છે.