રાજ્ય સરકારે આખરે સ્વીકાર્યું રાજ્યમાં તબીબોની અછત છે. 219 તબીબો બોન્ડનો ભંગ કરી વિદેશ ગયા છે. તબીબો વિદેશ જતા હોવાનો રાજ્ય સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં 219 તબીબોએ સરકારી બોન્ડની સેવા મર્યાદાનો ભંગ કરી નોકરી છોડી છે. આવા તબીબો પાસેથી રૂ. 2.94 કરોડ વસૂલાયા છે.