ગુજરાતમાં સંગઠન પર્વને લઇને ત્રણ મહિનો થઈ ગયો છે તેમ છતાં શહેર જિલ્લાના પ્રમુખ સહિત સંગઠનના પદાધિકારીઓની જાહેરાત અત્યાર સુધી કરવામાં આવી નથી. જેને લઇ અનેક તર્ક-વિતર્કોચાલી રહ્યા છે ત્યારે આ વિલંબ અંગે પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમારે સુરતમાં જણાવ્યું હતું કે દિલ્હી ચૂંટણી બાદ તમામ પદો માટે વરણી થઇ જશે અને વિલંબનો કારણ દેશહિત છે. જેને લઈ લોકોને ચિંતા કરવાની જરૂર નથી.