જામનગર કોર્પોરેશનની બેદરકારી મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષે કોર્પોરેશનની બેઠકમાં તથા મેયરની કેબિનમાં કચરો ફેંકીને વિરોધ કર્યો હતો. વિપક્ષનો આરોપ છેકે કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે ખુબ જ ઢીલી નીતિ રાખી રહ્યા છે. જેના કારણે ગંદકીનુ સામ્રાજ્ય જામ્યું છે અને જેના પગલે સમગ્ર શહેરને રોગચાળાએ ભરડામાં લીધું છે.