નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની શરૂઆત આજથી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી આ અભિયાનની શરૂઆત કરાવશે. ગુજરાતમાં 300 જેટલા સ્થાનો પર સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદેદારો, સાંસદો, ધારાસભ્યો ઘર ઘર સંપર્ક અભિયાનમાં જોડાશે.