મહા વાવાઝોડાના પગલે કેન્સલ કરાયેલ ગીર સોમનાથ (Somnath) નો કાર્તિકી પૂનમનો હવે ફરીથી યોજાશે. 11થી 15 નવેમ્બર દરમિયાન કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાયું છે. વાવાઝોડું (maha cyclone) દરિયામાં સમી જતા આ કાર્તિકી પૂર્ણિમાના મેળાનું ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.