મોરબીમાં પુલવામાના શહીદો માટે એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં દેશપ્રેમીઓ જોડાયા હતા. ગાયક કિર્તીદાન ગઢવી અને માયાભાઇ આહીરના ડાયરામાં ગણતરીના કલાકોમાં ૨૫ લાખ કરતા વધુ રકમની કલાકારો ઉપર ઘોળ કરવામાં આવી હતી. મોરબીમાં "એક શામ શહીદો કે નામ" લોક ડાયરામાં ઉદ્યોગકારોથી લઇને નાગરિકોએ કલાકારો પર શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે લાખોની રકમ વરસાવી હતી...અગાઉ પણ ગ્રામજનોએ એકત્ર કરેલી રકમને ઉમેરી 50 લાખની રકમ શહીદ પરિવારને મોકલવામાં આવશે.