31 ઓકટોમ્બર 2018ના દિવસે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું. અને આ ઉચેરા સરદારને જોવા રોજના 15 હજારથી પણ વધુ પ્રવાસીઓ ઓ ઉમટી રહ્યા છે અને તેને કારણે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 34 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની આવક પણ થઇ છે