નવસારીના ધામણમાં સુરતના એક મેનેજરે આપઘાત કર્યો છે. આપઘાત પહેલા મૃતકે એક સૂસાઈડ નોટ લખી હતી જેમાં અનેક ખુલાસા કર્યા હતા.સૂસાઈડ નોટમાં પૂરતો પગાર ન મળતા તેમજ 4 બિલ્ડરોએ તેને હેરાન કર્યો હોવાનો પણ ખુલાસો થયો છે. મૃતકે સૂસાઈડ પહેલા એક વીડિયો પણ બનાવ્યો જેમાં તે સૂસાઈડ કેમ કરે છે જણાવ્યું છે.તો સૂસાઈડ નોટમાં તમામ 4 બિલ્ડરોને સજા આપવાની માગ કરી છે.