જૂનાગઢમાં મગફળી કૌભાંડ મામલે અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું છે. મગફળી ખરીદીમાં ગેરરીતિ થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. પુરવઠા મામલતદાર એમ એસ ભગોરાએ કબૂલ્યું કે મગફળી બદલાઈ ગઈ છે. મગફળી ખેડૂતોની નહિ હોવાનો સ્વીકાર કર્યો હતો. જવાબદારો સામે કકડ પગલાં ભરવામાં આવશે. તમામ ગુણીઓનું ફરીથી પરીક્ષણ થશે. મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.