બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થવા પર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો કે, ભાજપએ ભરતીમેળાને રાજકારણ બનાવ્યું છે, ભાજપની પરીક્ષામાં ગોટાળાની માનસિકતા છે, પરીક્ષા બંધ રાખી 10 લાખ લોકોના ભાવી સાથે ચેડાં કર્યા છે હવે ગુજરાતનો યુવાનો જાગ્યો છે તેની અસર 6 પેટાચૂંટણીમાં દેખાશે. યુવાનો આંદોલન કરશે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરશે.