મોરબી માર્કેટ યાર્ડમાં મોરબી , માળીયા ( મીં ) અને ટંકારા ત્રણેય તાલુકાની ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવામાં આવે છે. જો કે હાલમાં આ ખરીદી ગોકળગતિએ કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબી જીલ્લામાંથી ૮૫૦૦ કરતા પણ વધારે ખેડૂતો દ્વારા નામ નોંધણી કરાવવામાં આવી છે તેની મગફળી ટેકાના ભાવે કયારે લેવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે મોરબી જીલ્લામાં મગફળી વેચવા માટે જેટલા ખેડુતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે તેમાંથી આજ સુધીમાં માત્ર ૩૨૭ ખેડૂતોની મગફળીની ખરીદ કરવામાં આવી છે અને મોટાભાગના ખેડૂતોની મગફળીને રીજેક્ટ કરવામાં આવી રહી છે.