વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી. જે હેઠળ દેશના એક કરોડથી વધુ નાના ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો નાખવામાં આવશે. તેની શરૂઆત પીએમ મોદીએ કાર્યક્રમમાં કરી. આ દરમિયાન પીએમ મોદીએ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો. તેમણે મંચથી તમામ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ગત સરકારની ઈચ્છા ખેડૂતોને સશક્ત કરવાની નહીં પરંતુ તેમને તરસાવવાની હતી. પહેલાની સરકારોમાં ખેડૂતનું ભલું કરવાની દાનત નહતી.