શહેરમાં આજે સિટીઝનશિપ એમેડમેન્ટ એક્ટનાં વિરોધમાં તોફાની ટોળા દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શન પર કડક કાર્યવાહી કરીને ડામી દીધો હતો. શહેરનાં કેટલાક વિસ્તારોમાં અજંપાભરી શાંતી છે. પથ્થરમારામાં 20 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. જ્યારે પોલીસે આ તોફાનીઓને કડક હાથે દબાવી દીધો હતો. આ ઉપરાંત 23 જેટલા તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી હતી. જેની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય અમદાવાદ પોલીસે શાંતિ જાળવવાની અપીલ કરી છે.