સુરતમાં એક રત્નકલાકારે આપઘાત કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સીમાડા નાકા પાસેની આ ઘટના છે. જેમાં નોકરી છૂટી જવાના કારણે રત્નકલાકારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ત્યારે આ મામલે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.