ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ 370 હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ 70 વર્ષમાં ન થયું તે અમે 75 દિવસમાં કરી બતાવ્યું.