દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે તહેવારમાં રજાઓને કારણે લોકો પોતાના વતનમાં જતાં હોય છે. તહેવાર દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં સૌરાષ્ટ્ર તથા રાજ્યના અન્ય વિસ્તારોના લોકો વધારે રહે છે. ત્યારે આ તમામ લોકોને દિવાળીના તહેવારમાં પોતાના વતન જવા માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે સુરતથી 1200 બસો દોડાવવામાં આવશે. તંત્ર દ્વારા કુલ 1500 ટ્રોપો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.