રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. યાર્ડના સત્તાધીશો અને વેપારીઓની આજે બેઠક મળી હતી. જેમાં વેપારી એસોસિયેશને તેમના પર કરવામાં આવેલા કેસો પાછા ન ખેંચવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી. કે. સખિયાએ કહ્યું કે આ મામલે યાર્ડના સત્તાધીશો મુખ્યમંત્રીને મળવા જશે અને કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરવામાં આવશે. યાર્ડમાં મળેલી બેઠકમાં વેપારીઓ અને સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ.