સુરતમાં કોઝવેની સપાટીમાં સતત ઘટાડો નોંધાતા સુરત મહાનગરપાલિકાએ સિંચાઈ વિભાગને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવા માટે પત્ર લખ્યો.ત્યારે સિંચાઈ વિભાગે 2500 કયુસેક પાણી કોઝવેમાં છોડવાનો નિર્ણય લીધો છે. કોઝવેની સપાટી સામાન્ય રીતે 5 મીટર હોવી જોઇએ, જો કે હાલ તેની સપાટી 4.42 મીટર પર પહોંચતા મનપાની ચિંતામા વધારો થયો છે.