આગકાંડ બાદ હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. સુરત ફાયર વિભાગને નવી લેડર મળી છે. પણ મહત્વની વાત તો એ છે કે,આ લેડર છેલ્લાં સાત-આઠ દિવસથી મુંબઈ પોર્ટ પર જર્મનીથી આવી ગઈ હતી, પણ ધૂળ ખાતી પડી હતી. સુરત આગકાંડ બન્યા બાદ તેને મુંબઈથી તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી હતી.