સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડી મુક્યા હતા.