અમદાવાદની SVP હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. દર્દીની સારવાર માટે SVP હોસ્પિટલમાં લેવાતી ડિપોઝીટની રકમને લઈને પણ વિવાદ સર્જાયો હતો. જરૂરી સારવાર ન મળતા દર્દીનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. જેમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, દર્દીને તાત્કાલિક સારવારની જરૂર હતી, ડોકટર તરફથી જરૂરી સારવાર આપવામાં આવી નહીં.