સુરત મનપાના કતારગામ ઝોનમાં જન્મ મરણના દાખલા સુધારા કરવા માટે કોર્ટમાં જવાના બદલે સીધી ઝોનમાં સેટિંગ કરીને દાખલો આપવાના 30 હજાર રૂપિયાનો ભાવ હોવાનો ઓડિયો વાયરલ થયો છે. કોઈપણ પ્રકારના સુધારા માટે કોર્ટમાં જવાના બદલે સીધું અધિકારીઓ સાથે સેટિંગ કરીને કામ કરાવી આપવાનો ઓડિયો વાયરલ થતા સુરત મનપામાં ચર્ચાનો વિષય બન્યો છે..