અમદાવાદના નિત્યાનંદ આશ્રમ તરફથી મળતી ધમકીઓના આરોપ બાદ પોલીસે દક્ષિણ ભારતથી આવેલા પરિવારને સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. તો ગોરખધંધાશ્રમને લઈને આપણી ચેનલ ઝી 24 કલાક પર આજની બીજી મોટી ખબર... અમદાવાદ પોલીસે તમિલનાડુનાં માતાપિતા અને તેમની સાથે આવેલા લોકોને સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. ઝી 24 કલાક પર માતાપિતાએ લાઈવ ચર્ચામાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે નિત્યાનંદ આશ્રમ તરફથી તેમને ધમકીઓ મળી રહી છે. તેમને કોઈને કોઈ કેસમાં ફસાવી દેવાની પણ ધમકીઓ મળી રહી છે.