મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી 8 કિલોમીટર દૂર આવેલા કંતારના જંગલમાં એક વૃક્ષ પરથી વાઘના પંજાના નિશાન હોવાની ઝી 24 કલાકને જાણ કરવામાં આવી હતી. જેના કારણે ઝી 24 કલાક દ્વારા જંગલમાં નિશાન જોવા મળ્યા હતા તે જગ્યાએ પહોંચ્યું હતું. જ્યાં એક વર્ષ અગાઉ વન વિભાગની બેદરકારીના કારણે મોત નીપજયું હતું તે જગ્યા ઉપર આવેલા ઝાડ ઉપર વાઘના પંજાના નિશાન જોવા મળ્યા છે.