ભારતીય રેલ્વે (Indian Railways) માતા વૈષ્ણો દેવીના ભક્તોને આજે મોટી ભેટ આપવા જઇ રહી છે. દેશમાં સૌથી સુંદર સુવિધાઓથી સજ્જ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને નવી દિલ્હીથી કટરા માતા વૈષ્ણોદેવી રૂટની શરૂઆત થઇ રહી છે. હવે થોડી વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હી રેલવે સ્ટેશનથી માતા વૈષ્ણોદેવીના દરબાર જનાર વંદેભારત અક્સપ્રેસને લીલી ઝંડી દેખાડશે. આ ટ્રેન માતાના પાવન નવરાત્રીમાં અષ્ટમી એટલે કે 5 ઓક્ટોબરથી શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા પર જતા યાત્રીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.