નવવર્ષની ખ્રિસ્તી સમુદાયે ઉજવણી કરી હતી. ખોખરાના સીઓનનગરમાં આવેલા મેથોડીસ્ટ ચર્ચમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. 5 હજાર જેટલા રંગબેરંગી ફુગ્ગાઓને આકાશમાં ઉડાવીને 2020ને આવકાર્યુ હતું. નવ વર્ષ નિમિત્તે ચર્ચમાં ખાસ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું.