ઈસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) માં લઘુમતી સમુદાય  હિન્દુ (Hindu) ઓની સામૂહિક હત્યાનો હચમચાવી નાખનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ એક જ પરિવારના 5 લોકોની ધારદાર હથિયારથી ગળું ચીરીને હત્યા કરી નાખી. ઘટના બાદ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના હિન્દુઓ અને શીખોમાં ડર પેસી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રહીમ યાર ખાન શહેરમાં ઘટી ઘટના
ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ આ ઘટના પાકિસ્તાનના મુલ્તાન જિલ્લામાં રહીમ યાર ખાન શહેરથી લગભગ 15 કિમી દૂર અબુધાબી કોલોનીના ચક નંબર 135-પીમાં ઘટી. અહીં ટેલરનું કામ કરતા 36 વર્ષના રામચંદ મેઘવાલ, તેમના પત્ની અને બાળકો શનિવારે સવારે ઘરમાં મૃત મળી આવ્યા. હત્યારાઓએ ગત રાતે ધારદાર હથિયારથી પાંચેયના ગળા ચીરી નાખ્યા હતા. પોલીસે ઘરમાંથી લોહીથી લથપથ કુહાડી અને ચાકૂ જપ્ત કર્યા. કહેવાય છે કે આ જ હથિયારોથી હત્યાકાંડને અંજામ અપાયો. 


અલ્પસંખ્યક હિન્દુ-શીખોમાં ડર વધ્યો
રહીમ યાર ખાનમાં સામાજિક કાર્યકર બીરબલ દાસે જણાવ્યું કે માર્યા ગયેલા રામચંદ મેઘવાલ લાંબા સમયથી ટેલરની દુકાન ચલાવતા હતા. તેઓ ખુબ શાંતિપ્રિય હતા અને ખુશહાલ જીવન જીવી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનાથી દરેક જણ હતપ્રત છે. શહેરમાં રહેતા હિન્દુ અને શીખોમાં આ ઘટનાથી ડર વધ્યો છે. બીજી બાજુ આ ઘટના બાદ પાકિસ્તાની પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી સરદાર ઉસ્માન બુજદારે દોષિતોની જલદી ધરપકડનો આદેશ આપ્યો છે. 


Corona Vaccine નહીં ખરીદે પાકિસ્તાન, આ બે વસ્તુની મદદથી લડશે કોરોના સામે જંગ


Coronavirus એ ફરી પોતાને કર્યો મ્યૂટેટ, ઇગ્લેંડમાં 16 લોકો નવા સ્ટ્રેનથી થયા સંક્રમિત


PAK: ઇમરાન ખાનનું બચી ગયું સન્માન, 178 વોટ સાથે પ્રાપ્ત કર્યો વિશ્વાસનો મત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube