વોશિંગ્ટન: ચીન (China) સાથે ભારે તણાવ વચ્ચે ભારત  (India)એ એક મોટી જીત પ્રાપ્ત કરી છે. તેને અમેરિકાનું ખુલીને સાથ મળવાનું શરૂ થઇ ગયું છે. આ સમાચાર ચીન માટે એક આંચકાવાળા સમાચાર છે. અમેરિકાના એક ટોચના ભારતીય-અમેરિકી સાંસદએ ભારતની સીમા પર ચીનની તાજેતરના આક્રમક ગતિવિધિઓની નિંદા કરતાં ચીનને અપીલ કરી છે તે તણાવ વધવાની રણનીતિને છોડી કૂટનીતિ અપનાવી.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત અઠવાડિયે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે હિંસક અથડામણમાં એક કર્નલ સહિત ભારતના 20 જવાનો શહીદ થયા છે. બંને દેશો વચ્ચે સીમાને લઇને ચાલી રહેલ ગતિરોધ વચ્ચે ગત પાંચ દાયકામાં આ મોટી હિંસક અથડામણએ સ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી. 


સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ એક નિવેદનમાં સોમવારે કહ્યું કે ''હું ચીની સરકાર દ્વારા લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ પર તાજેતરમાં ખતરનાક આક્રમક ગતિવિધિઓ અને કારણ વિના જીવનને નુકસાન પહોંચાડતા હું એકદમ ચિંતિત છું. ચીની સરકારને આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર પડોશીઓ સાથે વિવાદોનો સામનો કરતી વખતે તેને ઉશ્કેરવા અને ખોટા રસ્તાનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.


ઇલિયોનિસને ડેમોક્રેટિક સાંસદે કહ્યું કે ''હું ચીની સરકાર સાથે કડકાઇથી અપીલ કરું છું કે તે તણાવ વધારનાર ધૃષ્ટતાની રાહ છોડીને ભારત સાથે પોતાની સીમા વિવાદ સાથે સંકળાયેલા પ્રશ્નોના નિરાકરણ માટે કૂટનીતિનું અનુસરણ કરે. 


ભારતે સોમવારે ચીન દ્વારા ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર હુમલાને પૂર્વ નિયોજિત હુમલો ગણાવ્યો અને માંગ કરી છે કે ચીન તાત્કાલિક પૂર્વી લદ્દાખ સાથે તમામ જગ્યા પરથી પોતાની સેના હટાવે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube