Desmond Tutu Died at 90:  રંગભેદના વિરૂદ્ધ સંઘર્ષ કરનાર અને નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર દક્ષિણ આફ્રીકાના આર્ચબિશપ અમેરિટ્સ ડેસમંડસ ટૂટૂ (Archbishop Desmond Tutu) નું રવિવારે 90 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું છે. તેમણે દેશના નૈતિક કમ્પાસ ( Country's Moral Compass) કહેવામાં આવે છે. ડેસમંડ ટૂટૂને દક્ષિણ આફ્રીકામાં રંગભેદ વિરોધી પ્રતિના રૂપમાં ઓળખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજી તરફ દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાએ આર્ચબિશપના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે ''આર્ચબિશપ અમેરિટસ ડેસમંડ ટૂટૂનું નિધન દક્ષિણ આફ્રીકાની એક બહાદુર પેઢીનો અંત છે જેમણે રંગભેદના વિરૂદ્ધ સંઘર્ષ કરી નવું દક્ષિણ આફ્રીકા આપ્યું છે.'' રામફોસાએ કહ્યું કે 'તેમણે પોતાને એક બિન-સાંપ્રદાયિક, માનવાધિકારોને યૂનિવર્સલ ચેમ્પિયનના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા છે. જોકે રાષ્ટ્રપતિએ ડેસમંડ ટૂટૂના મોતના કારણો વિશે કોઇ જાણકારી આપી નથી.  

26 ડિસેમ્બર 2004નો કાળો દિવસ ભારત ક્યારેય નહી ભૂલે, તણાયા હતા હજારો ભારતીય


પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
તો બીજી તરફ પીએમ નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે, "આર્કબિશપ અમેરિટસ ડેસમંડ ટૂટુ વૈશ્વિક સ્તરે અસંખ્ય લોકો માટે માર્ગદર્શક હતા. માનવીય ગરિમા અને સમાનતા પર તેમના ભારણને હંમેશા યાદ રાખવામાં આવશે. હું તેમના નિધનથી ખૂબ જ દુઃખી છું અને તેમના તમામ પ્રશંસકો પ્રત્યે તેમની હાર્દિક સંવેદના વ્યક્ત કરું છું. તેમની આત્માને શાંતિ મળે."


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube