ઓટાવાઃ કેનેડા વિરુદ્ધ ભારતના જબરદસ્ત એક્શન બાદ પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના તેવર નરમ પડવા લાગ્યા છે. 41 કેનેડાઈ રાજદ્વારીઓને ભારત છોડવાના આદેશ બાદ ટ્રુડોએ કહ્યું કે તેનો દેશ ભારતની સાથે સ્થિતિને વધારવા ઈચ્છતો નથી. તેમણે કહ્યું- કેનેડા, ભારતની જમીન પર રહેવા ઈચ્છે છે, જેથી કેનેડાના લોકોની મદદ કરી શકે. ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધી તેના 41 રાજદ્વારીઓને દેશથી પરત બોલાવવાનું કહ્યું છે. કેનેડાના ભારતમાં 62 અધિકારીઓ છે અને નવી દિલ્હીએ કહ્યું કે આ સંખ્યા 41 ઓછી કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સાથે સ્થિતિને વધારવા નથી ઈચ્છતા
ટ્રુડોએ કહ્યું- કેનેડા ભારતની સાથે સ્થિતિને વધારવા નથી ઈચ્છતું, તે નવી દિલ્હીની સાથે જવાબદારીપૂર્વક અને રચનાત્મક રીતે જોડાવાનું યથાવત રાખશે. અમે કેનેડાના પરિવારોની મદદ માટે ભારતમાં રહેવા ઈચ્છીએ છીએ. ટ્રુડોએ પાછલા સપ્તાહે પણ કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના વિશ્વસનીય આરોપો છતાંસ કેનેડા હજુ પણ ભારતની સાથે ઘનિષ્ઠ સંબંધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતે ટ્રુડોના દાવાને વાહિયાત અને પ્રેરિત ગણાવી નકારી દીધા હતા. 


આ પણ વાંચોઃ ભણવા માટે આ 7 દેશો છે ઉત્તમ : ભારતીય વિદ્યાર્થીઓને મળે છે મહત્તમ સુવિધાઓ, ડોલર કમાશો


ટ્રુડોએ ભારતની વધતી સાખનો આપ્યો હવાલો
નેશનલ પોસ્ટના રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં ભારતના વધતા પ્રભાવ તરફ ઈશારો કરતા ટ્રુડોએ કહ્યું કે તે ખુબ મહત્વપૂર્ણ છે કે કેનેડા અને તેના સહયોગી ભારતની સાથે જોડાયેલું રહે. ભારત એક વધતી આર્થિક શક્તિ અને મહત્વપૂર્ણ ભૂ-રાજનીતિક ખેલાડી છે. અને જેમ કે અમે છેલ્લા એક વર્ષમાં આપણી ઈન્ડો-પેસિફિક રણનીતિ પ્રસ્તુત કરી હતી, અમે ભારતની સાથે ગાઢ સંબંધ બનાવવાને લઈને ગંભીર છીએ. તે સમયે સ્પષ્ટ રીતે કાયદાના શાસનવાળા દેશના રૂપમાં, અમારે તે વાત પર ભાર આપવાની જરૂર હતી કે ભારતે તે નક્કી કરવા માટે કેનેડાની સાથે કામ કરવાની જરૂર છે કે આપણે આ મામલામાં તથ્યો મળે. ટ્રુડોની આ ટિપ્પણી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદની વચ્ચે આવી છે, જે તેના દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ શરૂ થયો છે. 


ટ્રુડોની ટિપ્પણીથી ભારત-કેનેડામાં વધ્યો તણાવ
ભારત દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવેલા નિજ્જરની 18 જૂને કેનેડામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના ત્રણ મહિના બાદ કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે તેની દેશની ગુપ્તચર એજન્સીની પાસે તે વાતના પૂરાવા છે કે આ હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ છે. ત્યારબાદ કેનેડાએ ભારતના એક રાજદ્વારીને દેશમાંથી કાઢી મૂક્યા હતા. જેના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ અધિકારીને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હતા.