ઈસ્લામાબાદ: ખૈબર પખ્તુનખ્વામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ચીની એન્જિનિયરોના મોતની ઘટના પાકિસ્તાન માટે મોટી મુસીબત બની ગઈ છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાન ચીનને ઘૂંટણિયે પડીને ગુહાર લગાવી ચૂક્યા છે, પરંતુ ચીનનો ગુસ્સો ઓછો થવાનું નામ લેતો નથી. આ આતંકી હુમલાથી નારાજ ચીને પાકિસ્તાનમાં ચાલતા અનેક પ્રોજેક્ટ્સનું કામ અટકાવ્યું છે. એટલું જ નહીં ચીને દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા  પાકિસ્તાની કર્મચારીઓને પણ કાઢી મૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેફ્ટી માટે પણ આપે છે પૈસા
પોતાના 9 એન્જિનિયરોના મોત બાદ ચીને મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર કામ મુદ્દે બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિઓની બેઠકોને સ્થગિત કરી છે. આ ઉપરાંત અરબો ડોલરના ખર્ચે બની રહેલો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ હાલ મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે પોતાના નાગરિકોની સુરક્ષા માટે પણ પાકિસ્તાનને ચીન પૈસા આપે છે પરંતુ આમ છતાં હુમલામાં તેના એન્જિનિયરોના મોતથી ચીન બરાબર ધૂંધવાયું છે. 


ષડયંત્ર હેઠળ થયો વિસ્ફોટ
પાકિસ્તાને આતંકી હુમલાને અકસ્માતમાં ખપાવવાની ભરપૂર કોશિશ કરી જેથી કરીને ચીનના પ્રકોપથી બચી શકાય પરંતુ તે નિષ્ફળ રહ્યું. અત્રે જણાવવાનું કે ગત સપ્તાહે ચીનના નેતૃત્વવાળા દાસુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા તેના 9 એન્જિનિયરોના મોત થયા હતા. આ એન્જિનયરો બસમાં બેસીને સાઈટ પર જઈ રહ્યા હતા. તે સમયે જોરદાર વિસ્ફોટ થયો ને બસ નહેરમાં ખાબકી. આતંકવાદના મામલાના જાણકાર ફખર કાકાખેલ(Fakhar Kakakhel) એ કહ્યું કે નિશ્ચિત રીતે આ ધડાકો એટલા માટે કરવામાં આવ્યો જેથી કરીને ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર જેવા મેગા પ્રોજેક્ટને બાધિત કરવામાં આવી શકે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube